લગ્નના બીજા દિવસે પત્ની અને વચેટિયો ગુમ
નરોડામાં રહેતા 41 વર્ષીય યુવકના મામાની દુકાને આવતા ભરતભાઈ છગનભાઈ વસોયાએ લગ્ન માટે સ્વાતી નામની યુવતી બતાવી હતી. જે યુવકને પસંદ પડતા તેની સાથે લગ્ન કરવાનુ નકકી કર્યુ હતુ. જો કે ભરતભાઈએ યુવતી ગરીબ ઘરની હોઈ તેના પરિવારને રૂ.1.60 લાખ આપવાનુ કહેતા વાત નકકી થઈ હતી.
લગ્નની ખરીદી કરવાના નામે શરૂઆતમાં રૂ. 50 હજાર લીધા હતા. પછી લગ્નની તારીખ નકકી થતા ભરતભાઈએ ખર્ચો માંગતા તેમને કુલ રૂ. 24 હજાર આપ્યા હતા. દરમિયાન ગત જાન્યુઆરી મહિનામાં યુવકના લગ્ન સ્વાતી સાથે થયા હતા.જેમાં સ્વાતીને દાગીના અને કપડા વગેરે આપવામાં આવ્યા હતા. ત્યારબાદ બાકીના રૂપિયાની માંગણી કરતા એક લાખ રૂપિયા આપ્યા હતા. લગ્નની નોંધણી પણ કરાવી હતી. લગ્નના બે દિવસે સ્વાતીના સગાસબંધીઓને જમણવાર કરાવવા માટે ભરતભાઈએ બીજા રૂ. 50 હજાર માંગ્યા હતા. જે માટે યુવકને અમરાઈવાડી બોલાવ્યો હતો. જયાં ભરતભાઈ નાણાં આગંડીયામાં આપીને આવુ છુ કહીને ગયા હતા. જયારે સ્વાતી મને ચકકર આવે છે તેમ કહેતા યુવકને પાણીની બોટલ લેવા માટે મોકલીને ગુમ થઈ ગઈ હતી. યુવકે આ મામલે નરોડા પોલીસમાં બન્ને સામે રૂ.૩ લાખની ઠગાઈની ફરિયાદ કરી