નારોલમાં નજીવી બાબતમાં પાર્લર પરબેશખ્સોએ તોડફોડ મચાવી

દુકાનદારની પત્નીએ કચરો નાખતા મામલો બિચકયો

નારોલમાં દુકાનમાંથી કચરો ફેંકવાની નજીવી બાબતે બે વ્યક્તિઓએ ઝધડો કરીને દુકાનમાં તોડફોડ મચાવી હતી. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં બે સામે ફરિયાદ નોંધાવાઈ છે.

નારોલમાં રહેતા નાથુલાલ ગુજજર( ઉ.30) તેમના મકાન નીચે ડેરી ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવે છે.શુકવારે તેઓ અસલાલી કામસર ગયા હતા ત્યારે તેમનો પુત્રએ ફોન કરીને કહ્યું કે તમે જલદી તુકાને આવો બે લોકોએ કચરો નાખવા બાબતે બોલાચાલી કરી દુકાનના કાચ તોડી નાખી તોડફોડ કરી છે. નાથુલાલ ગુજજર તાતકાલીક અસલાલીથી આવી ગયા હતાં અને દુકાને આવતા જોયુ તો કાચના ટેબલના કાચ તુટેલા હતા.

આ અંગે પુછતા તેમની પત્નીએ કહ્યુ હતુ કે, તેઓ દુકાન આગળ કચરો નાંખવા માટે ગયા હતા. ત્યારે રોનક મનોજભાઈ સોલંકી અને તેનો મિત્ર સાગર ત્યાં હાજર હતા.

કચરો નાંખતા તેમના પર થોડો કચરો ઉડયો હતો. આથી રોનકે કચરો કેમ ઉડાડયો તેમ કહેતા મે તેની માફી પણ માંગી હતી. થોડીવાર બાદ રોનક તથા સાગરના પિતા હરિશભાઈ બંને હાથમાં ધોકા લઈને આવ્યા હતા અને દુકાનમાં ટેબલના કાચ અને ઠંડાપીણાના કેરેટના થપ્પાને ધોકા મારી તોડફોડ મચાવી હતી. આ અંગે નાથુલાલે નારોલ પોલીસ સ્ટેશનમાં રોનક અને હરિશભાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

  • Related Posts

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    2023-24માં ગ્રેજ્યુઇટી, લેબર કોર્ટ સહિતના કેસો પર સુનાવણી થઈ હતી અમદાવાદ કલેકટર કચેરી ખાતે વર્ષ 2023 અને 24માં લેબર કોર્ટના કેસ, ગ્રેજચ્યુટી સહિતના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે. જેમાં…

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    પોલીસે નિકોલમાં રહેતા 25 વર્ષના આરોપીની ધરપકડ કરી દિલ્હી દરવાજા પાસે શનિવારે વહેલી સવારે પોણા સાત વાગ્યાના સુમારે 49 વર્ષીય સફાઈ કર્મી મહિલા ડાહીબેન પ્રહલાદભાઈ ચૌહાણ નિત્યક્રમ મુજબ મસ્ટરમાં સહી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં 200 મીટરનો રોડ બેસી જતાં 3 ભૂવા પડ્યા, આખો રોડ બેસી જવાનો ભય

    નવાણા પંપિંગનાં પંપો ચાલુ નહીં કરાતા વટવા, લાંભા વોર્ડના 7000 મકાનોમાં ગટર બેક મારે છે

    વટવાની કંપનીના એકાઉન્ટન્ટે 3 કરોડની ઉચાપત કરી