કાગડાપીઠ પોલીસે 3 લોકો સામે ગુનો નોંધ્યો
શહેરના બહેરામપુરાના શાસ્ત્રીનગર ક્વાર્ટસમાં જુગારધામ પર દરોડા પાડવા ગયેલી કાગડાપીઠ પોલીસના સ્ટાફને જુગારધામ ચલાવતા બાપ-દિકરાએ રોકીને જાનથી માની નાંખવાની ધમકી આપી હતી.
બહેરામપુરા લાલબહાદુર શાસ્ત્રીનગર ક્વાટર્સ પાસેના બ્લોક-૩ના ધાબા ઉપર ખુલ્લામાં ગંજીપાનાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે કાગડાપીઠ પોલીસ દરોડો પાડવા ગઈ હતી. ત્યારે જુગાર રમાડી રહેલા આરોપી નરેશ વાઘેલા તેની પત્ની મંજુબેન વાઘેલા અને દીકરો સુજલ વાઘેલાએ કાગડાપીઠ પોલીસના કર્મીઓને ધાબાની સીડીમાં જ રોકી લીધા અને ધમકી આપી કે જો તમે દરોડા પાડશો તો આજુબાજુના માણસોને બોલાવીને તમને અહીંયાથી જીવતા જવા દઈશું નહી કહીને તકરાર કરવા લાગ્યા હતા.
ત્યારબાદ પોલીસે બળપ્રયોગ કરીને ધાબામાં પહોંચી ત્યાં સુધી બાપ દીકરાએ જુગારનો મુદ્દામાલ સગેવગે કરી દીધો હતો. આખરે પોલીસે ચેતવણી આપીને કહ્યું કે હવેથી જુગાર રમાડશો તો કાયદેસરની કાર્યવાહી કરીશું.ત્યારે ત્રણેય આરોપીઓએ પોલીસને ધમકી આપી કે ફરીથી અહિયાં આવશો તો ધાબેથી કુદકો મારીને આત્મહત્યા કરી લઈશું. તેવી ગર્ભિત ધમકી આપતા કાગડાપીઠ પોલીસે નરેશ. સુજલ અને મંજુબેન વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.