વટવા ગામમાં ગટરના પાણી રોડ પર ભરાયાં

વટવા ગામમાં આવેલા વણકરવાસ પાસે છેલ્લા 10 દિવસથી ગટર ઉભરાય રહી છે. તેમ છતાં તંત્ર દ્વારા આ વિસ્તારના રહીશોની ચિંતા કરવાના બદલે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. એટલે ગટરના પાણી ભરાયેલા હોવાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. આ અંગે સ્થાનિક પ્રવિણ પરમારે જણાવ્યું હતું કે, મ્યુનિ.ના દક્ષિણ ઝોનમાં આવેલા વટવા ગામના શનાભાઈ |નગર વણકરવાસ ગણેશ મંદિર પાસે છેલ્લા 10 દિવસથી ગટરો ઉભરાઈ રહી છે. જાહેર રોડ પર ગંદા પાણી ભરાઈ રહેતા તેની તીવ્ર દુર્ગંધથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે.

ઉપરાંત ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ એટલી હદે વધી ગયો છે કે લોકો બિમારીનો ભોગ બની રહ્યા છે. એટલે આ મામલે સ્થાનિકો મ્યુનિ. માં ઓનલાઈન ફરિયાદ કરે છે. તો

સમસ્યાના ઉકેલ વિના જ ફરિયાદ ક્લોઝ કરી દેવામાં આવે છે. એટલે આ રીતે વારંવાર લોકો ઓનલાઈન ફરિયાદ કરે પરંતુ ફરિયાદ ઉપર કોઈ ધ્યાન આપતું નથી.

  • Related Posts

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    2023-24માં ગ્રેજ્યુઇટી, લેબર કોર્ટ સહિતના કેસો પર સુનાવણી થઈ હતી અમદાવાદ કલેકટર કચેરી ખાતે વર્ષ 2023 અને 24માં લેબર કોર્ટના કેસ, ગ્રેજચ્યુટી સહિતના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે. જેમાં…

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    પોલીસે નિકોલમાં રહેતા 25 વર્ષના આરોપીની ધરપકડ કરી દિલ્હી દરવાજા પાસે શનિવારે વહેલી સવારે પોણા સાત વાગ્યાના સુમારે 49 વર્ષીય સફાઈ કર્મી મહિલા ડાહીબેન પ્રહલાદભાઈ ચૌહાણ નિત્યક્રમ મુજબ મસ્ટરમાં સહી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં 200 મીટરનો રોડ બેસી જતાં 3 ભૂવા પડ્યા, આખો રોડ બેસી જવાનો ભય

    નવાણા પંપિંગનાં પંપો ચાલુ નહીં કરાતા વટવા, લાંભા વોર્ડના 7000 મકાનોમાં ગટર બેક મારે છે

    વટવાની કંપનીના એકાઉન્ટન્ટે 3 કરોડની ઉચાપત કરી