નિકોલમાં રૂપિયાની લેતીદેતીમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા

એમ્બ્રોયડરીનું કામ કરતા યુવકને ત્રણ શખ્સોએ મોડીરાતે રોકી ઝઘડો કર્યો હતો

પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા

નિકોલમાં રૂપિયાની લેતીદેતીમાં ત્રણ વ્યક્તિઓએ એક યુવક સાથે બુધવારે મોડીરાતે બોલાચાલી કરી તેના ઉપર તિક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા યુવકનુ મોત નિપજયુ હતુ.આ મામલે નિકોલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર મુળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં નિકોલમાં રહેતા ફુલદીપસિંહ તોમર ટેક્સી ચલાવે છે અને ભાડાના મકાનમાં પત્ની અને બાળકો તથા ભાઈ વિવેકસિંહ સાથે રહે છે.

કુલદીપસિંહનો ભાઈ નિકોલમાં આવેલા મુક્તિધામ એસ્ટેટમાં એમ્બ્રોડરીના કારખાનામાં નોકરી કરતો હતો. ગત બુધવારની રાતેકુલદીપસિંહ તેમની ટેક્સી લઈને નિકોલ ખોડિયાર મંદિર પાસે પહોંચ્યા હતા. ત્યારે તેમના કાકા અજયવીરનો ફોન આવ્યો અને જણાવ્યું કે નિકોલ મુક્તિધામ એસ્ટેટ પાસે તાત્કાલિક આવી જા તારા ભાઈ વિવેકને કેટલાક લોકોએ ચાકુના ઘા માર્યા છે. આટલું સાંભળતાની સાથે જ કુલદીપસિંહ મુક્તિધામ એસ્ટેટ પહોંચ્યો અને જોયું તો વિવેકસિંહ લોહી લુહાણ બેભાન હાલતમાં જમીન પર નીચે પડેલો હતો.

તાતકાલીક 108ની મદદથી વિવેકસિંહને હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવતા ત્યાં ફરજ પરના હાજર ડોકટરોએ સારવાર દરમિયાન વિવેકસિંહને મૃત જાહેર કર્યો હતો.આ મામલે કુલદીપસિંહે તેના ભાઈના મોત અંગે પિતરાઈ ભાઈને પૂછતા જણાવા મળ્યું કે મૃતક વિવેકસિંહ અને પિતરાઈ ભાઈ પંકજ પંકજ તોમર મુક્તિધામ એસ્ટેટપાસે બુધવારની રાતે ઉભા હતા. આ સમયે આકાશ ચૌહાણ, આઝાદ ચૌહાણ અને નીતેશ તોમર આવ્યા હતા. અને વિવેકસિંહની સાથે રૂપિયાની લેતીદેતી મામલે ગાળો બોલીને ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ દરમિયાન નિતેશે તેની પાસે રહેલું ચપ્પુ કાઢીને વિવેક સિંહને એક બાદ એક બે ઘા મારી દીધા હતા. આ સમયે પંકજ તોમર વચ્ચે પડતા તેને પણ લોખંડની પાઈપના ફટકા માર્યા અને થાપાના ભાડે ચાકુનો એક ઘા મારી દીધો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા જતા ત્રણેય આરોપીઓ નાસી છુટ્યા હતા. આ મામલે મૃતક વિવેકસિંહના ભાઈ કુલદીપસિંહે નિકોલ પોલીસમાં આકાશ ઉર્ફે સોનુચૌહાણ, આઝાદ ચૌહાણ અને નિતેશ ઉર્ફે દિનુ તોમર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વિરુધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

  • Related Posts

    વટવાGIDCમાંબે દુકાનદાર બાળમજૂરી કરતા પકડાયા

    વેજલપુરમાં રહેતા અને એસોસીએશન ફોર વોલેન્ટરી એકશન સંસ્થાના સ્ટેટ કોર્ડીનેટર દામિનીબેન પટેલ અને તેમની સાથી કર્મચારીઓએ પોલીસ ટીમ સાથે હાથીજણ વિસ્તારમાં તપાસ કરતાં ક્રિશ્ના છોલેભટુરે તેમજ જય અંબે ઈડલી વડા…

    વટવા-નારોલમાં બે પુરુષોએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

    શહેરના વટવા અને નારોલમાં આત્મહત્યાની બે અલગ અલગ ઘટનામાં બે વ્યક્તિઓએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતુ. વટવા સંકલ્પ રેસીડેન્સી માં રહેતા સુબોધભાઈ વિનોદભાઈ પરમાર(ઉ.41) અગમ્ય કારણોસર ગુરુવારે સવારના 8…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવાGIDCમાંબે દુકાનદાર બાળમજૂરી કરતા પકડાયા

    વટવા-નારોલમાં બે પુરુષોએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

    નારોલમાં નજીવી બાબતમાં પાર્લર પરબેશખ્સોએ તોડફોડ મચાવી

    ચંડોળા તળાવમાંથી દબાણો હટાવાયા બાદ કુલ 3877 મેટ્રિક ટન કાટમાળ દૂર કરાયો

    ચંડોળા તળાવમાંથી દબાણો હટાવાયા બાદ કુલ 3877 મેટ્રિક ટન કાટમાળ દૂર કરાયો

    વસ્ત્રાલમાં આઈકોનિક રોડ પર ગટર ઉભરાતાં લોકો ત્રસ્ત

    નિકોલમાં રૂપિયાની લેતીદેતીમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા