ઓઢવમાં ધર્મપરિવર્તનની આશંકાએ પ્રાર્થનામાં લાકડીઓ સાથે ટોળુ ઘૂસ્યું

ખ્રિસ્તીધર્મના પ્રાર્થનાસ્થળે ટોળાએ જયશ્રીરામના નારા લગાવ્યા

ઓઢવ વિસ્તારમાં ઈશા વિદ્યાલય કોમ્પલેક્ષમાં ખ્રિસ્તી ધર્મના લોકો પ્રાર્થના ખંડમાં સભા કરી રહ્યા હતા, આ સમયે ધર્મપરિવર્તન થતુ હોવાની શંકાના આધારે હિન્દુ સંગઠન સાથે જોડાયેલા લોકોનુ ટોળુ ત્યાં પહોચી ગયુ હતુ અને અહીંયા ધર્મ પરિવર્તન કેમ કરાવો છો કહીને જય શ્રીરામના નારા લગાવ્યા હતા. આ મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં 10 વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છ વ્યક્તિની અટકાયત કરી છે.

ઓઢવમાં વિમલપાર્ક નજીક ઈશા વિદ્યાલય કોમ્પલેક્ષમાં રહેતા ઈમાનુએલ ખ્રિસ્તીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવાયુ છે કે. ગત રવિવારે સવારે ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના માટે અમે બધા ભેગા થયા હતા. અને પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારે પ્રાર્થના ખંડમાં જય શ્રી રામના નારા લગાવતા કેટલાક લોકોનુ ટોળુ આવી ચઢ્યું અને તમે લોકો ( લોકો અહિયાં ધર્મપરિવર્તન કરી રહ્યા છો, અહિયાં આ બધું નહી ચાલે અને ટોળામાં આવેલા લોકોના હાથમાં લાકડીઓ અને પાઈપો પણ હતી.

આ સિવાય પ્રાર્થના ખંડની બહાર બીજા 20થી 25 લોકોનું ટોળું ઉભેલું હતું. અને તેલોકો પણ જોરજોરથી બુમો પાડી રહ્યા હતા. ત્યારબાદ ઈમાનુએલ ખ્રિસ્તીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને સમગ્ર મામલે જાણ કરી હતી. ત્યારબાદ ઓઢવ પોલીસે દર્શન જોશી, જીગ્નેશભાઈ. જીતુંભાઈ બઠેડા, મયુરભાઈ દવે તથા યોગેશ ભાઈ સહીત કુલ 10 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેમાં 6 લોકોની પોલીસે અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

  • Related Posts

    નારોલમાં આમલેટની લારી પર તોડફોડ કરી પથ્થરમારામાં એકને ઈજા, ત્રણ સામે ફરિયાદ

    વટવામાં મયૂરપાર્ક સોસાયટીમાં રહેતા અનવરહુસેન મીરઝા નારોલમાં કેમ્બે ફાર્મ ધરાવીને ખેતીકામ ઉપરાંત ઈંડાની લારી ચલાવીને ગુજરાન ચલાવે છે. ગત મંગળવારે રાતના આઠ વાગે તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમના ત્યાં…

    વટવામાં મકાનનું તાળું ખોલી સોનાના રૂ. 9.35 લાખના દાગીનાની ચોરી

    પરિવાર બહાર હતો, કોઈએ ડબ્બામાંથી દાગીના કાઢી લીધા પોલીસને કોઈ જાણભેદુએ જ ચોરી કરી હોવાની આશંકા વટવા ગામડી રોડ પર રહેતા એક પરિવારને બેડરૂમમાં બેડની અંદર સોનાના દાગીના કિંમત રૂ.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    નારોલમાં આમલેટની લારી પર તોડફોડ કરી પથ્થરમારામાં એકને ઈજા, ત્રણ સામે ફરિયાદ

    વટવામાં મકાનનું તાળું ખોલી સોનાના રૂ. 9.35 લાખના દાગીનાની ચોરી

    ઘોડાસર ગામના તળાવ પ્રત્યે મ્યુનિ. તંત્રની ઉદાસીનતાથી ગેટ પાસે ઘાસ ઊગી નીકળ્યું

    ઘોડાસર ગામના તળાવ પ્રત્યે મ્યુનિ. તંત્રની ઉદાસીનતાથી ગેટ પાસે ઘાસ ઊગી નીકળ્યું

    પતિના અનૈતિક સંબંધના લીધે એસિડ પી લેતાં પત્નીનું મોત

    પ્લાસ્ટિક મામલે મધ્ય ઝોનમાં 11 એકમ સીલ કરાયાં

    મહિલાનું રૂ.2.10 લાખના દાગીના ભરેલું પર્સ ચોરી રિક્ષાગેંગ રફુચક્કર