ખોખરામાં અદાવતમાં ફલેટનુ તાળુ તોડી સામાનની તોડફોડ

મકાનમાલિક બહાર સૂવા માટે ગયા હતા

ખોખરામાં નવનિર્માણ સોસાયટીમાં ભજન હોઈ ઉધ આવતી નહોઈ સ્થાનિક રહેવાસી રીક્ષા લઈને અન્ય સ્થળે સૂવા માટે ગયા હતા. આ દરમિયાન કોઈ તેમના બંધ ઘરનુ તાળુ તોડી ટીવી ફ્રિજ અને કાચના ખાનામાં તોડફોડ કરીને નાસી ગયુ હતુ. આ અંગે ખોખરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યકતિ સામે મનદુખની અદાવત રાખીને આ કૃત્ય કરવામાં આવ્યુ હોવાની શંકાના આધારે ફરિયાદ નોંધાવાઈ છે.

ખોખરામાં નવનિર્માણ કો. હા ,સોસાયટીમાં રહેતા મનોજભાઈ ચાવડા ના પરિવારજનો ગત તા 19 મીની રાતે બહાર ગયા હોઈ તેઓ ઘરે એકલા હતા. આ સમયે તેમના ફલેટની નીચે ભજનનો કાર્યક્રમ હોઈ અવાજ તેમના ઘરમાં જોરથી આવતો હોઈ તેમને ઉંઘ આવતી નહતી એટલે તેઓ પોતાની રીક્ષા લઈને ખોખરા સ્લમ કવાટર પાસે રીક્ષા રાખીને તેમાં સૂઈ ગયા હતા. સવારે ઉઠીને તેઓ ઘરે ગયા અને જોયુ તો તેમના ઘરનો દરવાજો તુટેલો હતો. અંદર જઈને તપાસ કરતા સરસામાર વેરવિખેર હાલતમાં પડ્યો હતો. અને ટીવી તેમજ ફ્રિજને તોડફોડ કરી હોવાનુ જાણવા મળ્યુ હતુ. અંદરના ખાના પણ તુટેલા હતા

  • Related Posts

    ઈસનપુરમાં વૃદ્ધાએ દાગીના બનાવવા આપતા જવેલર્સે છેતરપિંડી આચરી

    ઈસનપુરમાં રહેતા અંજનાબેન કલ્પેશકુમાર શાહ (ઉ.61)ને તેમના લગ્ન વખતે કરીયાવરમાં આવેલા જુના દાગીના ગાળીને નવા બનાવવા હોઈ તેમના દુરના સગામાં જમાઈ અને ભાડુઆતનગરમાં દુકાન ધરાવતા નિમેષકુમાર કૌશિકભાઈ શાહને 19 માર્ચ,…

    નિવૃત્ત પોલીસકમીના પરિવાર સાથે 2.90 લાખની છેતરપિંડી

    સ્કીમના નામે ઠગાઈની મેઘાણીનગરમાં ફરિયાદ મેઘાણીનગરમાં મંદિરનું સંચાલન કરતા કરતા કોરોનાકાળમાં ફાયનાન્સ કંપની ખોલીને લોકોને બચત યોજનાના નામે લોભામણી લાલચ આપીને રૂપિયા લઈ પાકતી મુદ્દતે નાણાં પરત નહી આપવા બદલ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમરાઈવાડીમાં દર્દીને મદદ કરનારાને તેના ભાઈએ માર્યો

    ઈસનપુરમાં વૃદ્ધાએ દાગીના બનાવવા આપતા જવેલર્સે છેતરપિંડી આચરી

    નિવૃત્ત પોલીસકમીના પરિવાર સાથે 2.90 લાખની છેતરપિંડી

    નિકોલમાં મ્યુનિ. દ્વારા લાઈબ્રેરી બનાવાનું કામ વર્ષથી મંથરગતિમાં

    અમરાઈવાડીમાં યુવકને મારી ફરિયાદ પાછી ખેંચવા ધમકી

    પૂર્વના વર્ષો પુરાણા જર્જરિત બનેલાં 3328 સરકારી આવાસોના સ્ટ્રકચરલ ઓડિટને મંજૂરીની મહોર