જશોદાનગરમાં ડ્રેનેજના પાણી કેનાલમાં છોડતાં તીવ્ર દુર્ગંધથી સાત સોસાયટીના રહેવાસી ત્રસ્ત

સ્વચ્છતાની વાતો કરતું તંત્ર કેનાલમાં ગંદા પાણી છોડીને ગંદકી ફેલાવે છે

શહેરની ખારીકટ કેનાલમાં ગટરના પાણી છોડવા કે કચરો નાંખવા પર મ્યુનિ તંત્રનું પ્રતિબંધ છે. તેમ છતાં અવારનવાર લોકો કેનાલમાં ગંદકી કરતા હોવાની ફરિયાદો ઊઠે છે. તેવી જ રીતે જશોદાનગરમાંથી પસાર થતી ખારીકટ કેનાલમાં પુષ્કર હિલ પાસે ચાર દિવસથી ગટરના ગંદા પાણી કેનાલમાં છોડવામાં આવે છે. જેના લીધે આસપાસની સાતથી વધારે સોસાયટીના રહીશો ગંદા પાણીની દૂર્ગંધથી પરેશાન થઈ ગયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ખુદ મ્યુનિ દ્વારા જ ગટરના પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યા છે. એટલે લોકોને સ્વચ્છતા રાખવાની અને કેનાલમાં ગંદકી નહીં કરવાની સુફિયાણી સલાહો આપતા મ્યુનિ તંત્ર નિયમોનું ઉલ્લંધન કરી રહ્યું છે.

એટલે કેનાલમાં ગંદકી કરનારા સામે કડક પગલાં ભરવાની તંત્રના દાવા પોકળ નીકળતાં દિવા તળે અંધારા જેવો ઘાટ ઘડાયો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, મ્યુનિ. તંત્રમાં રજૂઆત કરી તો જવાબ મળે છે કે ગટરના પાણીના સ્તર ઉપર આવી ગયા હોવાથી જો પાણી કેનાલમાં છોડશે નહીં તો રહિશોની તકલીફ વધશે. આમ ગટરના પાણીનું લેવલ વધી ગયું હોવાથી તેને આ રીતે કેનાલમાં છોડાય છે. એમ કહીને તંત્રે હાથ અધ્ધર કરી લીધા છે.

  • Related Posts

    મ્યુનિ. હોસ્પિટલોમાં કરોડોના બાંધકામ પછી સુધારા થાય છે

    શારદાબેન, LGમાં બાંધકામ પછી લાખોનો ખર્ચ કમિશનરે જરૂર મુજબ પ્લાનનો પરિપત્ર કર્યો અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનરે ઈજનેર વિભાગને બિલ્ડિંગ બાંધકામ માટે સંબંધિત વિભાગની લેખિત મંજૂરી મેળવવા સૂચના આપી છે. શારદાબેન અને…

    ગોમતીપુર અને નિકોલમાં યુવક સહિત બે વ્યક્તિએ જીવનલીલા સંકેલી લીધી

    પૂર્વ વિસ્તારમાં ગોમતીપુર અને નિકોલમાં આત્મહત્યાની બે અલગ અલગ ઘટનામાં એક કયુવક સહિત બે વ્યક્તિઓએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવનલીલી સંકેલી લીધી હતી. પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગોમતીપુરમાં ગજરા કોલોનીમાં…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    મ્યુનિ. હોસ્પિટલોમાં કરોડોના બાંધકામ પછી સુધારા થાય છે

    જશોદાનગરમાં ડ્રેનેજના પાણી કેનાલમાં છોડતાં તીવ્ર દુર્ગંધથી સાત સોસાયટીના રહેવાસી ત્રસ્ત

    ગોમતીપુર અને નિકોલમાં યુવક સહિત બે વ્યક્તિએ જીવનલીલા સંકેલી લીધી

    દાણીલીમડામાં નશાકારક કફશીરપના જથ્થા સાથે એકની ધરપકડ, 1 વોન્ટેડ

    અમરાઈવાડીમાં સ્કૂલની વિદ્યાર્થિની સાથે સિકયુરિટી ગાર્ડે છેડછાડ કરી

    રામોલમાં 20 દિવસથી ગટરનાં પાણી રોડ પર ભરાતાં લોકોને હાલાકી

    રામોલમાં 20 દિવસથી ગટરનાં પાણી રોડ પર ભરાતાં લોકોને હાલાકી