હાથીજણમાં માટીના ઢગલાના લીધે રસ્તો શરૂ ન કરાતા સ્થાનિકો હેરાન

કામ પૂર્ણ થયાને 20 દિવસ થયા છતાં રસ્તો ખુલ્લો કરાતો નથી

શહેરના હાથીજણના લાલગેબી સર્કલ પાસે છેલ્લા ઘણા સમયથી ઔડા દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેના અંતર્ગત સર્વિસ રોડ બનાવાનું કામ પૂર્ણ થયાને 20 દિવસથી વધારે સમય થયો છતાં માટી ઢગલા હટાવાતા નથી. જેના લીધે સર્વિસ રોડ બંધ રાખવાના લીધે ફરી ફરીને જવાનો વારો આવતા લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. ઉપરાંત સતત ઉડતી ધૂળના લીધે લોકોને આસપાસના વિસ્તારના 12 હજારથી વધારે ફલેટના રહીશો પરેશાન થઈ ગયા છે.

આ અંગે સ્થાનિક અગ્રણી અતુલ પટેલે જણાવ્યું હતું કે, રોડ બનાવાનું કામ પૂર્ણ થયાને 20 દિવસ જેટલો સમય થયો પરંતુ તેની આસપાસના રોડ પર મુકેલા માટીના ઢગલા હટાવાતા જ નથી. જો માટીના ઢગલા હટાવીને રસ્તો શરૂ કરવામાં આવે તો હજારો લોકોને રાહત મળી શકે તેમ છે. પરંતુ હાલમાં માટીના ઢગલાના લીધે રસ્તો બંધ હોવાના લીધે ધર્મલેખ ફલેટ, નારયણી હાઈટ્સ ફલેટ, આનંદ ફલેટ, રાધેશ્યામ હાઉસિંગ, બાલેશ્વર ફલેટ અને બાલેસ્વર સિટી. ધર્મવિલા બંગ્લોઝ, માતૃવાટિકા ફલેટ, અપૂર્વ ફલેટ સહિતની આસપાસની સોસાયટીઓના 12 હજારથી વધારે રહીશોને ફરી ફરીને જવાનો વારો આવતા હેરાનગતિ ભોગવવી પડે છે.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન