હાથીજણમાં શિક્ષણ સહિત પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવાથી બિલમાંથી તેનો ટેક્સ બાદ કરો

હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવેલા આવાસમાં લોકો બોર દ્વારા પાણી લઈ રહ્યાં છે

જે સુવિધાઓ મળતી નથી તેનો પણ ટેક્સ ઉઘરાણી બિલમાં કરાતા લોકોમાં રોષ

શહેરના હાથીજણના વિવેકાનંદ નગરની સામે આવેલા પંડિત દિનદયાલ નગરમાં પીવાના પાણી, ગટર સહિતની સુવિધાઓ આપવામાં મ્યુનિ તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે. પરંતુ બીજી બાજુ મ્યુનિ. દ્વારા ટેક્સ બિલમાં જે સુવિધાઓ આપતા નથી તેનો પણ વેરો ઉમેરીને મોકલવામાં આવે છે. જેને લઈને નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. એટલે સ્થાનિકોએ મ્યુનિ.માં જે સુવિધાઓ આપતા નથી તેનો વેરા બાદ કરીને નવેસરથી ટેક્સ બિલ મોકલવા મ્યુનિ સમક્ષ માગણી કરી છે.

પ્રાપ્ત વિગત એવી છે કે, પૂર્વ ઝોનમાં આવેલા હાથીજણ પાસેના વિવેકાનંદ નગર ખાતે પંડિત દિનદયાલ નગર વિભાગ-૩ હાઉસિંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી યોજના અંતર્ગત ફ્લેટ બનાવી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મકાન ફાળવાયા હતા. પરંતુ આ મકાનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી વેરો, ગટરનો વેરો. સફાઈનો વેરો તેમજ શિક્ષણ વેરો ઉઘરાવવામાં આવે છે તદઉપરાંત અન્ય વેરા પણ ઉઘરાવામાં આવે છે.

પરંતુ આ બધી સુવિધાઓ આપવામાં આવતી નથી. પાણીની પણ સુવિધા અપાતી નથી અને ટેક્સના બિલમાં દર વર્ષે ટેક્સના બિલો આપી અને છેલ્લી નોટિસ આપી રહીશોને ધમકાવી સીલ મારવાની નોટિસ આપવામાં આવે છે. પરંતુ પરંતુ પ્રાથિ પ્રાથમિક સુવિધાઓ આપવામાં મ્યુનિ.કોર્પોરેશન કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર થતું નથી. એટલે મામલે સ્થાનિક અગ્રણીએ મ્યુનિ.માં રજૂઆત કરી છે કે, આવાસમાં પાણીની સુવિધા આપવામાં આવતી નથી. સોસાયટીના સભ્યોએ ભેગા થઈને મેઈનટેનન્સ ઉધરાવી બોર દ્વારા પાણી મેળવીએ છીએ. એટલે એએમસી દ્વારા પાણી,ગટર, સફાઈ અને શિક્ષણની સુવિધા મળતી નથી એટલે આ વધારાના તમામ ટેક્સ બાદ કરીને નવુ બિલ મોકલી આપવા મ્યુનિ.માં રજૂઆત કરી છે.

  • Related Posts

    અમરાઈવાડીમાં દર્દીને મદદ કરનારાને તેના ભાઈએ માર્યો

    વધુ 5 હજાર આપવાનો ઈન્કાર કરતા ઝઘડો કર્યો અમરાઈવાડીમાં રહેતા ગૌતમભાઈ પરમારના કોટુંબિક ભાઈ ધ્રુવ મુકેશભાઈ મકવાણાને મગજની તકલીફ હોઈજીસીએસ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જેની સારવાર માટે પૈસાની જરૂર હોઈ…

    ઈસનપુરમાં વૃદ્ધાએ દાગીના બનાવવા આપતા જવેલર્સે છેતરપિંડી આચરી

    ઈસનપુરમાં રહેતા અંજનાબેન કલ્પેશકુમાર શાહ (ઉ.61)ને તેમના લગ્ન વખતે કરીયાવરમાં આવેલા જુના દાગીના ગાળીને નવા બનાવવા હોઈ તેમના દુરના સગામાં જમાઈ અને ભાડુઆતનગરમાં દુકાન ધરાવતા નિમેષકુમાર કૌશિકભાઈ શાહને 19 માર્ચ,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમરાઈવાડીમાં દર્દીને મદદ કરનારાને તેના ભાઈએ માર્યો

    ઈસનપુરમાં વૃદ્ધાએ દાગીના બનાવવા આપતા જવેલર્સે છેતરપિંડી આચરી

    નિવૃત્ત પોલીસકમીના પરિવાર સાથે 2.90 લાખની છેતરપિંડી

    નિકોલમાં મ્યુનિ. દ્વારા લાઈબ્રેરી બનાવાનું કામ વર્ષથી મંથરગતિમાં

    અમરાઈવાડીમાં યુવકને મારી ફરિયાદ પાછી ખેંચવા ધમકી

    પૂર્વના વર્ષો પુરાણા જર્જરિત બનેલાં 3328 સરકારી આવાસોના સ્ટ્રકચરલ ઓડિટને મંજૂરીની મહોર