બાપુનગરમાં 94 અસરગ્રસ્તોને મકાન ફાળવ્યા વિના ટેક્સબિલ ફટકારી દીધાં

મકાનો ફાળવવા, ખોટા ટેક્સબિલો રદ કરવા મ્યુનિ.માં રજૂઆત

પુનઃવસનમાં 290 લોકોને મકાન ફાળવવામાં તંત્રના ગલ્લાંતલ્લાં

શહેરના બાપુનગરના મલેકશાબાન સ્ટેડિયમ તળાવના વિકાસના નામે ત્યાં વસવાટ 290 લોકોને જગ્યા ખાલી કરવા નોટિસ ફટકારી છે. પરંતુ તેમના પુનઃવસન માટે મકાનો આપવામાં તંત્ર ગલ્લા તલ્લા કરી રહ્યું છે. આટલુ ઓછુ હોય તેમ ત્યાં રહેતા 94 લોકોને મકાન ફાળવ્યા વિના જ તેમને ટેક્સબિલ ફટકારી દીધા છે. એટલે મકાનો ફાળવવા અને ખોટા ટ્રેકસબિલ રદ કરવા અસરગ્રસ્તોએ માંગણી કરી છે.

આ અંગે ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખે જણાવ્યું હતું કે, બાપુનગરના મલેકશાબાન સ્ટેડિયમ તળાવનો વિકાસ કરવાના નામે મ્યુનિ.એ અકબરનગરના છાપરાના 506 લોકોને હટાવાની કામગીરી કરી હતી. જેમાં 290 લોકોને હજુ મકાન મળ્યા નથી. તેમને તમામ જરૂરી પુરાવા આપવા છતાં મકાન ફાળવવા મામલે મ્યુનિ.સત્તાધિશો ગલ્લા તલ્લા કરી રહ્યા છે. જો કે મકાનો મળ્યા નથી તેમાંથી 94 લોકોને તો મકાન ફાળવ્યાના બે વર્ષના ટેકસબિલ પણ મ્યુનિએ ફટકારી દીધા છે.

જેમાં મકાન દીઠ 3 હજારથી 5 હજાર સુધીનું ટેક્સ બિલ અપાયા છે. જેના લીધે નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મામલે આજે ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનમાં મ્યુનિ સત્તાધિશોને રજૂઆત કરી છે. જ્યારે સમગ્ર મામલે મ્યુનિ.કમિશ્નરને પણ લેખિતમાં ફરિયાદ કરી છે.

  • Related Posts

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    2023-24માં ગ્રેજ્યુઇટી, લેબર કોર્ટ સહિતના કેસો પર સુનાવણી થઈ હતી અમદાવાદ કલેકટર કચેરી ખાતે વર્ષ 2023 અને 24માં લેબર કોર્ટના કેસ, ગ્રેજચ્યુટી સહિતના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે. જેમાં…

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    પોલીસે નિકોલમાં રહેતા 25 વર્ષના આરોપીની ધરપકડ કરી દિલ્હી દરવાજા પાસે શનિવારે વહેલી સવારે પોણા સાત વાગ્યાના સુમારે 49 વર્ષીય સફાઈ કર્મી મહિલા ડાહીબેન પ્રહલાદભાઈ ચૌહાણ નિત્યક્રમ મુજબ મસ્ટરમાં સહી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં 200 મીટરનો રોડ બેસી જતાં 3 ભૂવા પડ્યા, આખો રોડ બેસી જવાનો ભય

    નવાણા પંપિંગનાં પંપો ચાલુ નહીં કરાતા વટવા, લાંભા વોર્ડના 7000 મકાનોમાં ગટર બેક મારે છે

    વટવાની કંપનીના એકાઉન્ટન્ટે 3 કરોડની ઉચાપત કરી