બાપુનગરમાં શાસ્ત્રી સ્ટેડિયમની આસપાસ રહેતાં 15 હજાર રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત

છેલ્લા કેટલાય સમયથી પાણી, ડ્રેનેજ, વરસાદી પાણી ભરાવા સહિતની સમસ્યાઓની ભરમાર

સુવિધાઓ આપવામાં રજૂઆત છતાં તંત્ર સતત ઉપેક્ષા રાખતું હોવાની ફરિયાદ ઊઠી

શહેરના બાપુનગરના લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ પાસેના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી પુરતા પ્રેશરથી આવતા ન હોવાની, ડ્રેનેજ લાઈન ઉભરાવા અને વરસાદી પાણી ભરાતા હોવાની ફરિયાદો ઊઠવા પામી છે. ઉપરાંત પ્રાથમિક સુવિધાઓ મામલે તંત્ર ઉપેક્ષા રાખતું હોવાના લીધે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. આ મામલે વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ કામગીરી કરાતી ન હોવાની વિસ્તારના 15 હજારથી વધારે રહીશોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવાનો વારો આવ્યો ७.આ અંગે સ્થાનિક અગ્રણી ભાનુભાઈ

કોઠિયાએ જણાવ્યું હતું કે, બાપુનગરના લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ પાછળના વિસ્તાર જેવા કે જયબજરંગ સોસાયટી,ચિત્રકૂટ સોસાયટી, સૂર્યનગર સોસાયટી,આનંદ ફ્લેટ, મંગલમ ફ્લેટ, સત્યમ ફલેટ્ શાસ્ત્રી નગર,ચામુંડા નગર, ભાવના સોસાયટી, મોહનનગર, રામકૃપાનગર. મનહર નગર, જયશ્રીનગર, જલારામ નગર તેમજ આસપાસની નાની-મોટી ચાલીઓના 15 હજારથી વધારે રહીશોને પ્રાથમિક સુવિધાઓ પુરતા પ્રમાણમાં આપવામાં મ્યુનિ. તંત્ર અને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધીઓ નિષ્ફળ ગયા છે. આ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી પૂરતા પ્રેશરથી આવતા નથી, ડ્રેનેજ લાઈનોમાં વારંવાર ભંગાણ અને ઉભરાવાની સમસ્યાઓ જોવા મળે છે. જ્યારે રોડ પણ બિસમાર હાલતમાં છે. આ મામલે સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર સમગ્ર વિસ્તાર પ્રત્યે ઉદાસીન વલણ દાખવતું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા છે.

ચામુંડાનગર વિભાગ-2 પાસે ભૂવો પડતાં અકસ્માતની આશંકા

સ્ટેડીયમ પાછળ આવેલા ચામુંડા નગર વિભાગ-2 ના દરવાજા આગળ છેલ્લા એક અઠવાડિયાથી મોટો ભૂવો પડયો છે. આ બાબતે સ્થાનિક રહીશોએ વારંવાર મ્યુનિસિપલ કોર્પોરેશનની સબ ઝોનલ કચેરીમાં લેખિત અને મૌખિક રજુઆ કરી છે. છતાં આજદિન સુધી આ ભૂવો પુરવા માટે કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા કરાતી નથી જેના લીધે ચામુંડાનગરમાં રહેતા રહીશોને તેમના વાહનો સોસાયટીની બહાર કાઢવામાં તકલીફ પડે છે.ઉપરાંત રાહદારીઓને પણ હેરાન થવું પડે છે. જો કે નાના બાળકો રમતા રમતા આ ભૂવામાં પડી જવાના લીધે અકસ્માતનો ભય સતાવે છે.

  • Related Posts

    નિવૃત્ત પોલીસકમીના પરિવાર સાથે 2.90 લાખની છેતરપિંડી

    સ્કીમના નામે ઠગાઈની મેઘાણીનગરમાં ફરિયાદ મેઘાણીનગરમાં મંદિરનું સંચાલન કરતા કરતા કોરોનાકાળમાં ફાયનાન્સ કંપની ખોલીને લોકોને બચત યોજનાના નામે લોભામણી લાલચ આપીને રૂપિયા લઈ પાકતી મુદ્દતે નાણાં પરત નહી આપવા બદલ…

    નિકોલમાં મ્યુનિ. દ્વારા લાઈબ્રેરી બનાવાનું કામ વર્ષથી મંથરગતિમાં

    સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને હેરાનગતિ વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા સ્થાનિકોની તંત્રમાં રજૂઆત શહેરના પૂર્વના નિકોલ વોર્ડમાં છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ જેટલા લોકો વસવાટ કરવા આવ્યા છે. એટલે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    નિવૃત્ત પોલીસકમીના પરિવાર સાથે 2.90 લાખની છેતરપિંડી

    નિકોલમાં મ્યુનિ. દ્વારા લાઈબ્રેરી બનાવાનું કામ વર્ષથી મંથરગતિમાં

    અમરાઈવાડીમાં યુવકને મારી ફરિયાદ પાછી ખેંચવા ધમકી

    પૂર્વના વર્ષો પુરાણા જર્જરિત બનેલાં 3328 સરકારી આવાસોના સ્ટ્રકચરલ ઓડિટને મંજૂરીની મહોર

    ઈસનપુરમાં વિધવાને લગ્નની લાલચ આપી દાગીના લઈ ફરાર ગઠિયો સુરતથી ઝડપાયો

    ખોખરામાં યુવતીના ઘરે તોડફોડ કરનારા યુવક, મિત્રની ધરપકડ