બાપુનગરમાં શાસ્ત્રી સ્ટેડિયમની આસપાસ રહેતાં 15 હજાર રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત

છેલ્લા કેટલાય સમયથી પાણી, ડ્રેનેજ, વરસાદી પાણી ભરાવા સહિતની સમસ્યાઓની ભરમાર

સુવિધાઓ આપવામાં રજૂઆત છતાં તંત્ર સતત ઉપેક્ષા રાખતું હોવાની ફરિયાદ ઊઠી

શહેરના બાપુનગરના લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ પાસેના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી પુરતા પ્રેશરથી આવતા ન હોવાની, ડ્રેનેજ લાઈન ઉભરાવા અને વરસાદી પાણી ભરાતા હોવાની ફરિયાદો ઊઠવા પામી છે. ઉપરાંત પ્રાથમિક સુવિધાઓ મામલે તંત્ર ઉપેક્ષા રાખતું હોવાના લીધે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. આ મામલે વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ કામગીરી કરાતી ન હોવાની વિસ્તારના 15 હજારથી વધારે રહીશોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવાનો વારો આવ્યો ७.આ અંગે સ્થાનિક અગ્રણી ભાનુભાઈ

કોઠિયાએ જણાવ્યું હતું કે, બાપુનગરના લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ પાછળના વિસ્તાર જેવા કે જયબજરંગ સોસાયટી,ચિત્રકૂટ સોસાયટી, સૂર્યનગર સોસાયટી,આનંદ ફ્લેટ, મંગલમ ફ્લેટ, સત્યમ ફલેટ્ શાસ્ત્રી નગર,ચામુંડા નગર, ભાવના સોસાયટી, મોહનનગર, રામકૃપાનગર. મનહર નગર, જયશ્રીનગર, જલારામ નગર તેમજ આસપાસની નાની-મોટી ચાલીઓના 15 હજારથી વધારે રહીશોને પ્રાથમિક સુવિધાઓ પુરતા પ્રમાણમાં આપવામાં મ્યુનિ. તંત્ર અને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધીઓ નિષ્ફળ ગયા છે. આ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી પૂરતા પ્રેશરથી આવતા નથી, ડ્રેનેજ લાઈનોમાં વારંવાર ભંગાણ અને ઉભરાવાની સમસ્યાઓ જોવા મળે છે. જ્યારે રોડ પણ બિસમાર હાલતમાં છે. આ મામલે સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર સમગ્ર વિસ્તાર પ્રત્યે ઉદાસીન વલણ દાખવતું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા છે.

ચામુંડાનગર વિભાગ-2 પાસે ભૂવો પડતાં અકસ્માતની આશંકા

સ્ટેડીયમ પાછળ આવેલા ચામુંડા નગર વિભાગ-2 ના દરવાજા આગળ છેલ્લા એક અઠવાડિયાથી મોટો ભૂવો પડયો છે. આ બાબતે સ્થાનિક રહીશોએ વારંવાર મ્યુનિસિપલ કોર્પોરેશનની સબ ઝોનલ કચેરીમાં લેખિત અને મૌખિક રજુઆ કરી છે. છતાં આજદિન સુધી આ ભૂવો પુરવા માટે કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા કરાતી નથી જેના લીધે ચામુંડાનગરમાં રહેતા રહીશોને તેમના વાહનો સોસાયટીની બહાર કાઢવામાં તકલીફ પડે છે.ઉપરાંત રાહદારીઓને પણ હેરાન થવું પડે છે. જો કે નાના બાળકો રમતા રમતા આ ભૂવામાં પડી જવાના લીધે અકસ્માતનો ભય સતાવે છે.

  • Related Posts

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    2023-24માં ગ્રેજ્યુઇટી, લેબર કોર્ટ સહિતના કેસો પર સુનાવણી થઈ હતી અમદાવાદ કલેકટર કચેરી ખાતે વર્ષ 2023 અને 24માં લેબર કોર્ટના કેસ, ગ્રેજચ્યુટી સહિતના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે. જેમાં…

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    પોલીસે નિકોલમાં રહેતા 25 વર્ષના આરોપીની ધરપકડ કરી દિલ્હી દરવાજા પાસે શનિવારે વહેલી સવારે પોણા સાત વાગ્યાના સુમારે 49 વર્ષીય સફાઈ કર્મી મહિલા ડાહીબેન પ્રહલાદભાઈ ચૌહાણ નિત્યક્રમ મુજબ મસ્ટરમાં સહી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં 200 મીટરનો રોડ બેસી જતાં 3 ભૂવા પડ્યા, આખો રોડ બેસી જવાનો ભય

    નવાણા પંપિંગનાં પંપો ચાલુ નહીં કરાતા વટવા, લાંભા વોર્ડના 7000 મકાનોમાં ગટર બેક મારે છે

    વટવાની કંપનીના એકાઉન્ટન્ટે 3 કરોડની ઉચાપત કરી