પહલગામ આંતકી હુમલામાં 28 જેટલા નિર્દોષ નાગરિકોના મોત નિપજતાં દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે નરોડા વેપારી એસોસિએશન દ્વારા શનિવારે બંધ પાળવામાં આવ્યો હતો. જેમાં નરોડાની દેવી સિનેમાથી સ્માશાન સુધી, હંસપુરા.ગેલેક્ષી સિનેમા,અરવિંદ ચોકડી સહિતના તમામ વિસ્તારોની મળીને કુલ 2 હજાર જેટલી દુકાનો સ્વયંમભૂ બંધ રાખવામાં આવી હતી. જ્યારે કાલુપુરમાં પણ વેપારીઓએ બંધ પાળીને મૃતકોને શ્રદ્ધાંજલી આપવાની સાથે સાથે હુમલાની ઘટનાને વખોડી કાઢી હતી.
5 વોર્ડમાં રૂ.7.35 કરોડના ખર્ચે ડ્રેનેજ,સ્ટોર્મ વોટર, આરસીસી રોડ અને પેવર બ્લોકની કામગીરી કરાશે
વટવા, ખાડિયા, નરોડા, કુબેરનગર અને સરદારનગરની સમસ્યાઓ ઉકેલવા આયોજન નરોડામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે સ્ટોર્મ વોટર લાઈન નખાશે શહેરના પૂર્વના 5 વોર્ડમાં ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઈન, રોડ અને…