બાપુનગરમાં શાસ્ત્રી સ્ટેડિયમની આસપાસ રહેતાં 15 હજાર રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત

છેલ્લા કેટલાય સમયથી પાણી, ડ્રેનેજ, વરસાદી પાણી ભરાવા સહિતની સમસ્યાઓની ભરમાર

સુવિધાઓ આપવામાં રજૂઆત છતાં તંત્ર સતત ઉપેક્ષા રાખતું હોવાની ફરિયાદ ઊઠી

શહેરના બાપુનગરના લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ પાસેના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી પુરતા પ્રેશરથી આવતા ન હોવાની, ડ્રેનેજ લાઈન ઉભરાવા અને વરસાદી પાણી ભરાતા હોવાની ફરિયાદો ઊઠવા પામી છે. ઉપરાંત પ્રાથમિક સુવિધાઓ મામલે તંત્ર ઉપેક્ષા રાખતું હોવાના લીધે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. આ મામલે વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ કામગીરી કરાતી ન હોવાની વિસ્તારના 15 હજારથી વધારે રહીશોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવાનો વારો આવ્યો ७.આ અંગે સ્થાનિક અગ્રણી ભાનુભાઈ

કોઠિયાએ જણાવ્યું હતું કે, બાપુનગરના લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ પાછળના વિસ્તાર જેવા કે જયબજરંગ સોસાયટી,ચિત્રકૂટ સોસાયટી, સૂર્યનગર સોસાયટી,આનંદ ફ્લેટ, મંગલમ ફ્લેટ, સત્યમ ફલેટ્ શાસ્ત્રી નગર,ચામુંડા નગર, ભાવના સોસાયટી, મોહનનગર, રામકૃપાનગર. મનહર નગર, જયશ્રીનગર, જલારામ નગર તેમજ આસપાસની નાની-મોટી ચાલીઓના 15 હજારથી વધારે રહીશોને પ્રાથમિક સુવિધાઓ પુરતા પ્રમાણમાં આપવામાં મ્યુનિ. તંત્ર અને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધીઓ નિષ્ફળ ગયા છે. આ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી પૂરતા પ્રેશરથી આવતા નથી, ડ્રેનેજ લાઈનોમાં વારંવાર ભંગાણ અને ઉભરાવાની સમસ્યાઓ જોવા મળે છે. જ્યારે રોડ પણ બિસમાર હાલતમાં છે. આ મામલે સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર સમગ્ર વિસ્તાર પ્રત્યે ઉદાસીન વલણ દાખવતું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા છે.

ચામુંડાનગર વિભાગ-2 પાસે ભૂવો પડતાં અકસ્માતની આશંકા

સ્ટેડીયમ પાછળ આવેલા ચામુંડા નગર વિભાગ-2 ના દરવાજા આગળ છેલ્લા એક અઠવાડિયાથી મોટો ભૂવો પડયો છે. આ બાબતે સ્થાનિક રહીશોએ વારંવાર મ્યુનિસિપલ કોર્પોરેશનની સબ ઝોનલ કચેરીમાં લેખિત અને મૌખિક રજુઆ કરી છે. છતાં આજદિન સુધી આ ભૂવો પુરવા માટે કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા કરાતી નથી જેના લીધે ચામુંડાનગરમાં રહેતા રહીશોને તેમના વાહનો સોસાયટીની બહાર કાઢવામાં તકલીફ પડે છે.ઉપરાંત રાહદારીઓને પણ હેરાન થવું પડે છે. જો કે નાના બાળકો રમતા રમતા આ ભૂવામાં પડી જવાના લીધે અકસ્માતનો ભય સતાવે છે.

  • Related Posts

    5 વોર્ડમાં રૂ.7.35 કરોડના ખર્ચે ડ્રેનેજ,સ્ટોર્મ વોટર, આરસીસી રોડ અને પેવર બ્લોકની કામગીરી કરાશે

    વટવા, ખાડિયા, નરોડા, કુબેરનગર અને સરદારનગરની સમસ્યાઓ ઉકેલવા આયોજન નરોડામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે સ્ટોર્મ વોટર લાઈન નખાશે શહેરના પૂર્વના 5 વોર્ડમાં ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઈન, રોડ અને…

    વટવામાં આગમાં દાઝી ગયેલા કામદારનું અંતે મોત

    વટવા જીઆઈડીસીમાં કેમિકલ કંપનીમાં આગ લાગતા એક આધેડ દાઝી ગયા હતા જેમનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. ધંધુકા નવાપરામાં રહેતા નિતિનભાઈ પનારા(ઉ 55) ગત તા બીજી મે ના રોજ બપોરના…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    5 વોર્ડમાં રૂ.7.35 કરોડના ખર્ચે ડ્રેનેજ,સ્ટોર્મ વોટર, આરસીસી રોડ અને પેવર બ્લોકની કામગીરી કરાશે

    વટવામાં આગમાં દાઝી ગયેલા કામદારનું અંતે મોત

    નિકોલ પોલીસે ગુમ થયેલા 15 ફોન નાગરિકોને પરત કર્યા

    નરોડા મુઠિયામાં બુટલેગરના બે માળના ગેરકાયદે મકાનને તોડી પડાયું

    સરદારનગરમાં લોરેન્સ બિશ્નોઈના નામે ખંડણી ઉઘરાવનારો વડોદરાથી ઝડપાયો

    હાથીજણમાં શિક્ષણ સહિત પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવાથી બિલમાંથી તેનો ટેક્સ બાદ કરો