વટવામાં મકાન તોડવા જતાં દીવાલ પડી જતાં યુવકનું મોત

સીડી તોડવા જતા દિવાલ પણ ધરાશયી થઈ

વટવા વિસ્તારમાં જુનુ મકાન તોડવાની કામગીરી દરમિયાન સીડી તથા દિવાસ તૂટી પડતા એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજયું હતું. આ અંગે વટવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના વટવા વિસ્તારમાં જાનીયાપીરના ટેકરાખાતે રહેતા પ્રભુભાઈ રણછોડભાઈ ખાંટ( ઉ.22) પી ડી પંડયા કોલેજ પાસે આવેલી વ્રજભૂમિ સોસાયટીમાં આવેલા એક જૂના મકાનને પાડવાનું કામ મળ્યુ હોઈ અન્ય મજૂરો સાથે કામ કરવા જતા હતા.

દરમિયાન બુધવારે સવારના 11.15 વાગે પ્રભુભાઈ સોસાયટીમાં મકાન પાડવાની કામગીરી કરતા હતા. ત્યારે મકાનની સીડી તોડતી વખતે અચાનક સીડી તથા તેને અડીને આવેલી દિવાલ તુટી પડતા પ્રભુભાઈ કાટમાળ નીચે દટાઈ જતા ગંભીર ઈજા થઈ હતી. તેમને સારવાર અર્થે એલ જી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન