પહલગામ આંતકી હુમલામાં 28 જેટલા નિર્દોષ નાગરિકોના મોત નિપજતાં દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે નરોડા વેપારી એસોસિએશન દ્વારા શનિવારે બંધ પાળવામાં આવ્યો હતો. જેમાં નરોડાની દેવી સિનેમાથી સ્માશાન સુધી, હંસપુરા.ગેલેક્ષી સિનેમા,અરવિંદ ચોકડી સહિતના તમામ વિસ્તારોની મળીને કુલ 2 હજાર જેટલી દુકાનો સ્વયંમભૂ બંધ રાખવામાં આવી હતી. જ્યારે કાલુપુરમાં પણ વેપારીઓએ બંધ પાળીને મૃતકોને શ્રદ્ધાંજલી આપવાની સાથે સાથે હુમલાની ઘટનાને વખોડી કાઢી હતી.
કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા
2023-24માં ગ્રેજ્યુઇટી, લેબર કોર્ટ સહિતના કેસો પર સુનાવણી થઈ હતી અમદાવાદ કલેકટર કચેરી ખાતે વર્ષ 2023 અને 24માં લેબર કોર્ટના કેસ, ગ્રેજચ્યુટી સહિતના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે. જેમાં…