બાપુનગરમાં સ્ટ્રીટ લાઈટના થાંભલાથી કરંટ લાગવાનો ભય

તંત્ર દ્વારા કામગીરી કરવામાં ગલ્લાંતલ્લાં કરાય છે

શહેરના બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં છેલ્લા કેટલાય સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ થતી હોવાની ફરિયાદો ઊઠી છે.તેમાં પણ એક લાઈટનો થાંભલો પડી ગયાને અઢી મહિના થઈ ગયા છે. વારંવાર ફરિયાદ કરવા છતાં તેનું સમારકામ કરવાનું દુર યોગ્ય જવાબ આપવામાં પણ મ્યુનિ. નો સ્ટાફ આડોડાઈ કરી રહ્યો છે. જો કે થાંભલો પડી ગયો હોવાના લીધે રાહદારીઓને કરંટ લાગે તો દૂર્ઘટના સર્જાવાની શક્યતા સેવાઈ રહી છે.

આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, બાપુનગરના હાઉસિંગ બોર્ડના હરદાસનગરમાં છેલ્લા કેટલાક મહિનાથી અવારનવાર સ્ટ્રીટ લાઈટ બંધ થતાં રાતે અંધારપટ છવાઈ જતો હોવાની ફરિયાદો ઊઠે છે. જો કે અવારનવાર ફરિયાદો કરવા છતાં કોઈ કામગીરી કરાતી જ નથી. જેના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. આ મામલે વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ અસરકારક કામગીરી કરાતી નથી. જેના કારણે હાઉસિંગના વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો છે. જેના કારણે રાતના સમયે ચોરી થવાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે. તેમજ સ્ટ્રીટલાઈટનો થાંભલો ફુટપાથ પર પડ્યો હોવાના લીધે ત્યાંથી લોકો અવરજવર કરતા હોય છે. ઉપરાંત બાળકો પણ રમતા હોવાના લીધે સ્ટ્રીટલાઈટના થાંભલાના વાયરોમાં કોઈ અડી જાય તો કરંટ લાગે તો દૂર્ઘટના થવાનો ભય રહેલો છે. એટલે લોકો બાળકોને થાંભલાની આસપાસથી પસાર પણ થવા દેતા નથી.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન