ગોમતીપુર અને નિકોલમાં યુવક સહિત બે વ્યક્તિએ જીવનલીલા સંકેલી લીધી

પૂર્વ વિસ્તારમાં ગોમતીપુર અને નિકોલમાં આત્મહત્યાની બે અલગ અલગ ઘટનામાં એક કયુવક સહિત બે વ્યક્તિઓએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવનલીલી સંકેલી લીધી હતી. પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગોમતીપુરમાં ગજરા કોલોનીમાં રહેતા મનસુખભાઈ દેવજીભાઈ વાઘેલા(ઉ.44)એ અગમ્ય કારણોસર ગત તા 28મી એ બપોરના સવા ત્રણ વાગે પોતાના ઘરે છતના ભાગે લાકડાના મોભ સાથે સાડી બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

આ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. બીજી ઘટનામાં નિકોલમાં ગંગોત્રી સર્કલ પાસે આવેલા જથ સૂર્યનગર સોસાયટીમાં રહેતા જય રાજુભાઈ પટેલ( ઉ.26)એ ગત તા 28 મીના સવારના 9 થી બપોરના 12 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અગમ્ય કારણોસર પોતાના ઘરે છતમાં લોખંડની પાઈપ સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

  • Related Posts

    ઈસનપુરમાં યુવકને વેશ્યાવૃતિ મામલે લુંટનારા 3 નકલી પોલીસની ધરપકડ

    ડેકોરેશનનો વ્યવસાય કરતા યુવક પાસેથી રૂ 28 હજાર પડાવ્યા વસ્ત્રાલમાં ડેકોરેશનનો વ્યવસાય કરતો યુવક નારોલ ચાર રસ્તા પાસે મજૂરોને લેવા માટે ગયો ત્યારે નકલી પોલીસે વેશ્યાવૃતિ કરે છે કહીને ધમકાવી…

    લાંભા વોર્ડમાં ડ્રેનેજ, પાણીની લાઈનનું નેટવર્ક નાખવા રૂ.4.23 કરોડ ખર્ચાશે

    વારંવાર ઉભરાતી ગટર અને પાણીની સમસ્યાથી નાગરિકો હેરાન થઈ ગયા હતા શાહવાડી, લાંભા, સૈજપુર અને પીપળજ ગામને પાયાની સુવિધા મળશે શહેરના છેવાડામાં આવેલા લાંભા વોર્ડમાં વારંવાર ડ્રેનેજ અને ગટર ઉભરાવાની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ઈસનપુરમાં યુવકને વેશ્યાવૃતિ મામલે લુંટનારા 3 નકલી પોલીસની ધરપકડ

    ડોક્ટર મહિલાની સાસરિયાં સામે ત્રાસ આપ્યાની ફરિયાદ

    લાંભા વોર્ડમાં ડ્રેનેજ, પાણીની લાઈનનું નેટવર્ક નાખવા રૂ.4.23 કરોડ ખર્ચાશે

    રામોલ હાથીજણના ભાજપના કોર્પોરેટર દારૂ પીધેલા પકડાયા

    પૂર્વના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા રૂ. 15 લાખના દારૂનો નાશ કરાયો

    ભાઈપુરા વોર્ડમાં ગેરકાયદેસર બાંધેલાં 5 મકાન તોડી પડાયાં