ગોમતીપુર અને નિકોલમાં યુવક સહિત બે વ્યક્તિએ જીવનલીલા સંકેલી લીધી

પૂર્વ વિસ્તારમાં ગોમતીપુર અને નિકોલમાં આત્મહત્યાની બે અલગ અલગ ઘટનામાં એક કયુવક સહિત બે વ્યક્તિઓએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવનલીલી સંકેલી લીધી હતી. પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગોમતીપુરમાં ગજરા કોલોનીમાં રહેતા મનસુખભાઈ દેવજીભાઈ વાઘેલા(ઉ.44)એ અગમ્ય કારણોસર ગત તા 28મી એ બપોરના સવા ત્રણ વાગે પોતાના ઘરે છતના ભાગે લાકડાના મોભ સાથે સાડી બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

આ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. બીજી ઘટનામાં નિકોલમાં ગંગોત્રી સર્કલ પાસે આવેલા જથ સૂર્યનગર સોસાયટીમાં રહેતા જય રાજુભાઈ પટેલ( ઉ.26)એ ગત તા 28 મીના સવારના 9 થી બપોરના 12 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અગમ્ય કારણોસર પોતાના ઘરે છતમાં લોખંડની પાઈપ સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

  • Related Posts

    અનાજ વિતરણની વ્યવસ્થા ખોરવાતા 10 દિવસથી રેશનકાર્ડધારકોને ધક્કા

    અનાજ લેવા દુકાને જતાં કાર્ડધારકોને આખરે તો નિરાશા મળે છે શહેરના શાહીબાગ ઘોડા કેમ્ય પાસેના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનોથી રેશનિંગની દુકાનોમાં અનાજનો જથ્થો પહોચાડવાની વ્યવસ્થા પડી ભાંગી છે.…

    બેંક ઓફ અમેરિકાના IT પ્રોફેશનલને પોલીસે ભાડાની ડિપોઝિટ પાછી અપાવી

    મકાનમાલિક છ માસથી ધક્કા ખવડાવતા પોલીસનો સંપર્ક કર્યો બેંક ઓફ અમેરીકાના આઈટી પ્રોફેશનલે મણિનગરમાં એક મકાન રૂ.9 હજારના ભાડે રાખ્યુ હતુ જોકે સંજોગોવસાત તેઓ ગાંધીનગર રહેવા માટે જતા રહ્યા હતા.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અનાજ વિતરણની વ્યવસ્થા ખોરવાતા 10 દિવસથી રેશનકાર્ડધારકોને ધક્કા

    બેંક ઓફ અમેરિકાના IT પ્રોફેશનલને પોલીસે ભાડાની ડિપોઝિટ પાછી અપાવી

    કચરાના નિકાલની વ્યવસ્થા નહીં કરી હોય તો હોલ,પાર્ટીપ્લોટમાં બીયુ પરમિશન મળશે નહીં

    સાબરમતીમાં પ્રદૂષણ ન રોકવા બદલ 12 STP કોન્ટ્રાક્ટરને 4 કરોડનો દંડ

    વટવામાં ઝઘડાનું સમાધાન કરાવતા યુવકને માર માર્યો

    વટવામાં 2500 ચોરસ ફૂટ ક્ષેત્રફળનું કોમર્શિયલ શેડનું બાંધકામ તોડી પડાયું