ગોમતીપુર અને નિકોલમાં યુવક સહિત બે વ્યક્તિએ જીવનલીલા સંકેલી લીધી

પૂર્વ વિસ્તારમાં ગોમતીપુર અને નિકોલમાં આત્મહત્યાની બે અલગ અલગ ઘટનામાં એક કયુવક સહિત બે વ્યક્તિઓએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવનલીલી સંકેલી લીધી હતી. પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગોમતીપુરમાં ગજરા કોલોનીમાં રહેતા મનસુખભાઈ દેવજીભાઈ વાઘેલા(ઉ.44)એ અગમ્ય કારણોસર ગત તા 28મી એ બપોરના સવા ત્રણ વાગે પોતાના ઘરે છતના ભાગે લાકડાના મોભ સાથે સાડી બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

આ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. બીજી ઘટનામાં નિકોલમાં ગંગોત્રી સર્કલ પાસે આવેલા જથ સૂર્યનગર સોસાયટીમાં રહેતા જય રાજુભાઈ પટેલ( ઉ.26)એ ગત તા 28 મીના સવારના 9 થી બપોરના 12 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અગમ્ય કારણોસર પોતાના ઘરે છતમાં લોખંડની પાઈપ સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

  • Related Posts

    વટવામાં પરિણીતાને હેરાન કરનારા પુરુષ સામે ફરિયાદ

    પુત્રીનું અપહરણ કરવાની ધમકી આપી હતી વટવામાં રહેતી પરિણીત મહિલાને તેના મિત્રએ તેના પતિને છોડીને તેની સાથે રહેવા માટે માનસિક ત્રાસ આપીને હેરાન કરતા કંટાળેલી પરિણીતાએ આ મામલે પતિને વાત…

    નારોલમાં વેપારીને લોનના નામે ગઠિયાએ છેતરી લીધા

    50 હજારની લોનના ચાર્જ પેટે 17 હજાર ભરાવ્યા નારોલમાં ફેસબુક પર ઓનલાઈન લોન આપવાની જાહેરાત જોઈને એક વેપારીએ રૂ 50 હજારની લોન લેવા માટે કલીક કરતા તેમના પર અજાણ્યા વ્યકિતએ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં પરિણીતાને હેરાન કરનારા પુરુષ સામે ફરિયાદ

    નારોલમાં વેપારીને લોનના નામે ગઠિયાએ છેતરી લીધા

    વટવામાં ધોળેદિવસે યુવકને ચપ્પુ બતાવી રૂ.3.50 લાખ લૂંટી બે ફરાર

    સ્મશાનમાં 500 પરિવારને RTEની માહિતી અપાઈ

    લાંભા વોર્ડમાં પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં બીમારીના કેસોમાં વધારો

    લાંભા વોર્ડમાં પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં બીમારીના કેસોમાં વધારો

    અમદાવાદ ગ્રામ્ય LCBએ ફેદરા ગામે જુગાર રમતા 5 ઝડપાયા