શાહીબાગમાં કેન્સરગ્રસ્ત પુત્રના ઇલાજ માટે પૈસા ન મળતાં માતાએ દવા પીધી

પતિ અને સાસરિયાં સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

શાહીબાગમાં રહેતી પરિણીતાએ કેન્સરની બિમારીથી પીડાતા દિકરાની સારવાર માટે પતિ પાસે પૈસા માંગતા પતિ સાસુ તથા જેઠજેઠાણીએ ઝઘડો કરીને મૂઢમાર મારતા મનમાં લાગી આવતા પરિણીતાએ ફિનાઈલ પી લઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પરિણીતાએ શાહીબાગ પોલીસમાં પતિ સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે.

શાહીબાગમાં રહેતા સોનાબેન પટણીના લગ્ન 2018માં હરિશભાઈ સાથે થયા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. લગ્ન બાદ થોડાસમય બાદ તેમને પતિ સાસુ અને જેઠે માર મારી પિયર મોકલી દીધા હતા.

તે સમયે પુત્ર પેટમાં હતો.ત્યારબાદ સમજાવટ કરીને તેમને પાછા તેડી ગયા હતા જોકે દસ દિવસબાદ બ્લીડીંગ થતા સારવાર નહી કરાવતા સોનાબેનને તેમની માતા પિયર લઈ ગયા હતા. ત્યારબાદ તેઓ ચાર વર્ષ સુધી પિયરમાં રહ્યા હતા. સાસરીયા તેડી જતા નહતા.દરમિયાન પુત્રને ડાબા પગના થાપાના ભાગે ગાંઠ થતા નિદાન કરાવતા કેન્સર હોવાનું જણાયુ હતુ. તેની જાણ પતિ અને સાસરીયાને કરતા તેમણે સરખો જવાબ આપ્યો નહતો. આ તરફ પુત્રનું ઓપરેશન કરાવતા ઈન્ફેકશન થતા બીજુ ઓપરેશન કરાવવુ પડયુ હતુ જેની સારવારનો ખર્ચ સાસરીયાએ આપ્યો નહતો. એક વર્ષ પહેલા સોનાબેને ઘરેલુ હિંસા અંગે કોર્ટમાં ફરિયાદ કરી હતી જે કેસ હાલમાં ચાલુ છે.

દરમિયાન ગત શનિવારે સોનાબેને તેમના પતિ અને સાસુને પુત્રની કેન્સરની સારવાર કરાવવા માટે પૈસા માંગતા તેમને પતિ સાસુ અને જેઠજેઠાણીએ ઉશ્કેરાઈને ઝઘડો કરીને મૂઢમાર મારતા મનમાં લાગી આવતા સોનાબેને ફેરીવાળા પાસેથી ફિનાઈલની બોટલ લઈને તેમાંથી થોડુ ફિનાઈલ પી જતા તેમની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે સોનાબેને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પતિ હરિશભાઈ કિશનભાઈ પટણી. સાસુ કોકિલાબેન, જેઠ સાવનભાઈ અને જેઠાણી ભાવનાબેન ઉર્ફે ટીનાબેન સામે ફરિયાદ નોંધાવી છે.

  • Related Posts

    અમરાઈવાડીમાં દર્દીને મદદ કરનારાને તેના ભાઈએ માર્યો

    વધુ 5 હજાર આપવાનો ઈન્કાર કરતા ઝઘડો કર્યો અમરાઈવાડીમાં રહેતા ગૌતમભાઈ પરમારના કોટુંબિક ભાઈ ધ્રુવ મુકેશભાઈ મકવાણાને મગજની તકલીફ હોઈજીસીએસ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જેની સારવાર માટે પૈસાની જરૂર હોઈ…

    ઈસનપુરમાં વૃદ્ધાએ દાગીના બનાવવા આપતા જવેલર્સે છેતરપિંડી આચરી

    ઈસનપુરમાં રહેતા અંજનાબેન કલ્પેશકુમાર શાહ (ઉ.61)ને તેમના લગ્ન વખતે કરીયાવરમાં આવેલા જુના દાગીના ગાળીને નવા બનાવવા હોઈ તેમના દુરના સગામાં જમાઈ અને ભાડુઆતનગરમાં દુકાન ધરાવતા નિમેષકુમાર કૌશિકભાઈ શાહને 19 માર્ચ,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમરાઈવાડીમાં દર્દીને મદદ કરનારાને તેના ભાઈએ માર્યો

    ઈસનપુરમાં વૃદ્ધાએ દાગીના બનાવવા આપતા જવેલર્સે છેતરપિંડી આચરી

    નિવૃત્ત પોલીસકમીના પરિવાર સાથે 2.90 લાખની છેતરપિંડી

    નિકોલમાં મ્યુનિ. દ્વારા લાઈબ્રેરી બનાવાનું કામ વર્ષથી મંથરગતિમાં

    અમરાઈવાડીમાં યુવકને મારી ફરિયાદ પાછી ખેંચવા ધમકી

    પૂર્વના વર્ષો પુરાણા જર્જરિત બનેલાં 3328 સરકારી આવાસોના સ્ટ્રકચરલ ઓડિટને મંજૂરીની મહોર