શાહીબાગમાં કેન્સરગ્રસ્ત પુત્રના ઇલાજ માટે પૈસા ન મળતાં માતાએ દવા પીધી

પતિ અને સાસરિયાં સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

શાહીબાગમાં રહેતી પરિણીતાએ કેન્સરની બિમારીથી પીડાતા દિકરાની સારવાર માટે પતિ પાસે પૈસા માંગતા પતિ સાસુ તથા જેઠજેઠાણીએ ઝઘડો કરીને મૂઢમાર મારતા મનમાં લાગી આવતા પરિણીતાએ ફિનાઈલ પી લઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પરિણીતાએ શાહીબાગ પોલીસમાં પતિ સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે.

શાહીબાગમાં રહેતા સોનાબેન પટણીના લગ્ન 2018માં હરિશભાઈ સાથે થયા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. લગ્ન બાદ થોડાસમય બાદ તેમને પતિ સાસુ અને જેઠે માર મારી પિયર મોકલી દીધા હતા.

તે સમયે પુત્ર પેટમાં હતો.ત્યારબાદ સમજાવટ કરીને તેમને પાછા તેડી ગયા હતા જોકે દસ દિવસબાદ બ્લીડીંગ થતા સારવાર નહી કરાવતા સોનાબેનને તેમની માતા પિયર લઈ ગયા હતા. ત્યારબાદ તેઓ ચાર વર્ષ સુધી પિયરમાં રહ્યા હતા. સાસરીયા તેડી જતા નહતા.દરમિયાન પુત્રને ડાબા પગના થાપાના ભાગે ગાંઠ થતા નિદાન કરાવતા કેન્સર હોવાનું જણાયુ હતુ. તેની જાણ પતિ અને સાસરીયાને કરતા તેમણે સરખો જવાબ આપ્યો નહતો. આ તરફ પુત્રનું ઓપરેશન કરાવતા ઈન્ફેકશન થતા બીજુ ઓપરેશન કરાવવુ પડયુ હતુ જેની સારવારનો ખર્ચ સાસરીયાએ આપ્યો નહતો. એક વર્ષ પહેલા સોનાબેને ઘરેલુ હિંસા અંગે કોર્ટમાં ફરિયાદ કરી હતી જે કેસ હાલમાં ચાલુ છે.

દરમિયાન ગત શનિવારે સોનાબેને તેમના પતિ અને સાસુને પુત્રની કેન્સરની સારવાર કરાવવા માટે પૈસા માંગતા તેમને પતિ સાસુ અને જેઠજેઠાણીએ ઉશ્કેરાઈને ઝઘડો કરીને મૂઢમાર મારતા મનમાં લાગી આવતા સોનાબેને ફેરીવાળા પાસેથી ફિનાઈલની બોટલ લઈને તેમાંથી થોડુ ફિનાઈલ પી જતા તેમની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે સોનાબેને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પતિ હરિશભાઈ કિશનભાઈ પટણી. સાસુ કોકિલાબેન, જેઠ સાવનભાઈ અને જેઠાણી ભાવનાબેન ઉર્ફે ટીનાબેન સામે ફરિયાદ નોંધાવી છે.

  • Related Posts

    સ્મશાનમાં 500 પરિવારને RTEની માહિતી અપાઈ

    સમાજને શિક્ષિત કરવા યુવાનોની પહેલ સમાજના બાળકોને શિક્ષિત કરવા અને મહિલાઓને મેડિકલ ઈમરજન્સી વેળા બ્લડની જરૂર પડે ત્યારે સમાજના યુવાનો તેમની પડખે ઉભા રહે તેવા આશયે પટણી સમાજના યુવાનોએ પહેલ…

    લાંભા વોર્ડમાં પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં બીમારીના કેસોમાં વધારો

    શહેરના લાંભા વોર્ડમાં નવાણા પંપિગ સ્ટેશન પાસે આવેલા બાગે કૌશરના ખુલ્લા મેદાનમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદી પાણી ભરાયેલા રહે છે. જેના કારણે ગંદકી થતાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં આસપાસના વિસ્તારમાં મચ્છરજન્ય…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સ્મશાનમાં 500 પરિવારને RTEની માહિતી અપાઈ

    લાંભા વોર્ડમાં પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં બીમારીના કેસોમાં વધારો

    લાંભા વોર્ડમાં પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં બીમારીના કેસોમાં વધારો

    અમદાવાદ ગ્રામ્ય LCBએ ફેદરા ગામે જુગાર રમતા 5 ઝડપાયા

    અમરાઈવાડીમાં ફાઈનાન્સ કંપનીના કર્મી.એ રૂ. 1.18 લાખની ઠગાઈ કરી

    સરદારનગરમાં સિક્રેટ લોકર તોડી દાગીના-રોકડની ચોરી

    મણિનગરમાં સરનામું પૂછવાના બહાને મહિલાનું ચેઈન સ્નેચિંગ