શાહીબાગમાં કેન્સરગ્રસ્ત પુત્રના ઇલાજ માટે પૈસા ન મળતાં માતાએ દવા પીધી

પતિ અને સાસરિયાં સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

શાહીબાગમાં રહેતી પરિણીતાએ કેન્સરની બિમારીથી પીડાતા દિકરાની સારવાર માટે પતિ પાસે પૈસા માંગતા પતિ સાસુ તથા જેઠજેઠાણીએ ઝઘડો કરીને મૂઢમાર મારતા મનમાં લાગી આવતા પરિણીતાએ ફિનાઈલ પી લઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પરિણીતાએ શાહીબાગ પોલીસમાં પતિ સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે.

શાહીબાગમાં રહેતા સોનાબેન પટણીના લગ્ન 2018માં હરિશભાઈ સાથે થયા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. લગ્ન બાદ થોડાસમય બાદ તેમને પતિ સાસુ અને જેઠે માર મારી પિયર મોકલી દીધા હતા.

તે સમયે પુત્ર પેટમાં હતો.ત્યારબાદ સમજાવટ કરીને તેમને પાછા તેડી ગયા હતા જોકે દસ દિવસબાદ બ્લીડીંગ થતા સારવાર નહી કરાવતા સોનાબેનને તેમની માતા પિયર લઈ ગયા હતા. ત્યારબાદ તેઓ ચાર વર્ષ સુધી પિયરમાં રહ્યા હતા. સાસરીયા તેડી જતા નહતા.દરમિયાન પુત્રને ડાબા પગના થાપાના ભાગે ગાંઠ થતા નિદાન કરાવતા કેન્સર હોવાનું જણાયુ હતુ. તેની જાણ પતિ અને સાસરીયાને કરતા તેમણે સરખો જવાબ આપ્યો નહતો. આ તરફ પુત્રનું ઓપરેશન કરાવતા ઈન્ફેકશન થતા બીજુ ઓપરેશન કરાવવુ પડયુ હતુ જેની સારવારનો ખર્ચ સાસરીયાએ આપ્યો નહતો. એક વર્ષ પહેલા સોનાબેને ઘરેલુ હિંસા અંગે કોર્ટમાં ફરિયાદ કરી હતી જે કેસ હાલમાં ચાલુ છે.

દરમિયાન ગત શનિવારે સોનાબેને તેમના પતિ અને સાસુને પુત્રની કેન્સરની સારવાર કરાવવા માટે પૈસા માંગતા તેમને પતિ સાસુ અને જેઠજેઠાણીએ ઉશ્કેરાઈને ઝઘડો કરીને મૂઢમાર મારતા મનમાં લાગી આવતા સોનાબેને ફેરીવાળા પાસેથી ફિનાઈલની બોટલ લઈને તેમાંથી થોડુ ફિનાઈલ પી જતા તેમની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે સોનાબેને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પતિ હરિશભાઈ કિશનભાઈ પટણી. સાસુ કોકિલાબેન, જેઠ સાવનભાઈ અને જેઠાણી ભાવનાબેન ઉર્ફે ટીનાબેન સામે ફરિયાદ નોંધાવી છે.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન