પહલગામ આંતકી હુમલામાં 28 જેટલા નિર્દોષ નાગરિકોના મોત નિપજતાં દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે નરોડા વેપારી એસોસિએશન દ્વારા શનિવારે બંધ પાળવામાં આવ્યો હતો. જેમાં નરોડાની દેવી સિનેમાથી સ્માશાન સુધી, હંસપુરા.ગેલેક્ષી સિનેમા,અરવિંદ ચોકડી સહિતના તમામ વિસ્તારોની મળીને કુલ 2 હજાર જેટલી દુકાનો સ્વયંમભૂ બંધ રાખવામાં આવી હતી. જ્યારે કાલુપુરમાં પણ વેપારીઓએ બંધ પાળીને મૃતકોને શ્રદ્ધાંજલી આપવાની સાથે સાથે હુમલાની ઘટનાને વખોડી કાઢી હતી.
શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 3869 એકમોને નોટિસ, 201 એકમોને સીલ
શહેરને પ્લાસ્ટિક મુકત બનાવવા માટે મ્યુનિ.એ હાથ ધરેલી ઝુંબશમાં રૂ 6.41 લાખ દંડ વસુલાયો શહેરમાં સાત ઝોન પૈકી સૌથી સેન્ટ્રલ ઝોનમાં ઝોનમાં 1340 એકમોને પ્લાસ્ટિક મુદે નોટિસ ફટકારાઈ શહેરને પ્લાસ્ટિકમુક્ત…







