પહલગામ આંતકી હુમલામાં 28 જેટલા નિર્દોષ નાગરિકોના મોત નિપજતાં દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે નરોડા વેપારી એસોસિએશન દ્વારા શનિવારે બંધ પાળવામાં આવ્યો હતો. જેમાં નરોડાની દેવી સિનેમાથી સ્માશાન સુધી, હંસપુરા.ગેલેક્ષી સિનેમા,અરવિંદ ચોકડી સહિતના તમામ વિસ્તારોની મળીને કુલ 2 હજાર જેટલી દુકાનો સ્વયંમભૂ બંધ રાખવામાં આવી હતી. જ્યારે કાલુપુરમાં પણ વેપારીઓએ બંધ પાળીને મૃતકોને શ્રદ્ધાંજલી આપવાની સાથે સાથે હુમલાની ઘટનાને વખોડી કાઢી હતી.
અમરાઈવાડીમાં દર્દીને મદદ કરનારાને તેના ભાઈએ માર્યો
વધુ 5 હજાર આપવાનો ઈન્કાર કરતા ઝઘડો કર્યો અમરાઈવાડીમાં રહેતા ગૌતમભાઈ પરમારના કોટુંબિક ભાઈ ધ્રુવ મુકેશભાઈ મકવાણાને મગજની તકલીફ હોઈજીસીએસ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જેની સારવાર માટે પૈસાની જરૂર હોઈ…