તંત્રે વેઠ ઉતારતાં ખોખરામાં રોડ બન્યાના ગણતરીના દિવસોમાં જ ભૂવો પડયો

ભૂવા પડવાનો સિલસિલો ચાલુ છતાં ઉકેલ શોધવામાં તંત્રને રસ નથી

શહેરના ખોખરા વોર્ડમાં ન્યૂ અવની ફલેટ પાસે રોડ બનાવ્યાના થોડા જ દિવસોમાં ભૂવો પડતાં અવરજવર કરવામાં વાહનચાલકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ અસરકારક કામગીરી કરાતી નથી. વગર ચોમાસે ભૂવા પડવાનો સિલસિલો ચાલી રહ્યો છે, ત્યારે વગર વરસાદે પડતાં ભૂવા પાછળના ખરા કારણો શોધીને તેનો ઉકેલવાની દિશામાં અને ભૂવાનું તાબડતોબ સમારકામ કરવાની દિશામાં કામ કરવામાં મ્યુનિ તંત્ર ઉદાસીનતા વલણ દાખવી રહ્યું છે.

આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, ખોખરા વોર્ડમાં ન્યૂ અવની ફલેટથી સિકોતર માતાજીના મંદિરના ચાર રસ્તા તરફ જવાના રસ્તા પર ભૂવો પડયો છે. હજુ થોડા દિવસો અગાઉ જ ડામર નાંખીને આ રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું. તેના થોડા સમય જ ભૂવો પડતા રોડ બનાવાની કામગીરીમાં વેઠ ઉતારી હોય તેવુ લાગી રહ્યું છે. જો કે આ ભૂવો ડ્રેનેજ લાઈનની ચેમ્બર પાસે જ પડયો છે. ત્યારે તેનું સમારકામ વહેલી તકે કરાશે નહીં તો આગામી દિવસોમાં ભૂવો મોટો થવાની પુરેપુરી શકયતા સેવાઈ રહી છે. ત્યારે તાકિદે આ ભૂવાનું સમારકામ કરવામાં આવે તે જરૂરી છે.

નોંધનીય છે કે, લાંભામાં રોડ બનાવ્યાના બે દિવસ બાદ જ નવા રોડ પર ભૂવો પડ્યો હતો. જેના કારણે તંત્રે બેરીકેડ મુકીને સંતોષ માન્યો હતો. પરંતુ ભૂવાનું સમારકામ કરવાની દિશામાં ખાસ કોઈ તસ્દી લીધી ન હતી. હવે ખોખરામાં પણ રોડ બનાવ્યાના થોડા દિવસોમાં જ ભૂવો પડ્યો છે. પરંતુ હજુ સુધી મ્યુનિ.એ બેરિકેડ મુક્યું ન હોવાથી મોટો અકસ્માત સર્જાય તેવી શકયતા છે.

  • Related Posts

    અમરાઈવાડીમાં દર્દીને મદદ કરનારાને તેના ભાઈએ માર્યો

    વધુ 5 હજાર આપવાનો ઈન્કાર કરતા ઝઘડો કર્યો અમરાઈવાડીમાં રહેતા ગૌતમભાઈ પરમારના કોટુંબિક ભાઈ ધ્રુવ મુકેશભાઈ મકવાણાને મગજની તકલીફ હોઈજીસીએસ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જેની સારવાર માટે પૈસાની જરૂર હોઈ…

    ઈસનપુરમાં વૃદ્ધાએ દાગીના બનાવવા આપતા જવેલર્સે છેતરપિંડી આચરી

    ઈસનપુરમાં રહેતા અંજનાબેન કલ્પેશકુમાર શાહ (ઉ.61)ને તેમના લગ્ન વખતે કરીયાવરમાં આવેલા જુના દાગીના ગાળીને નવા બનાવવા હોઈ તેમના દુરના સગામાં જમાઈ અને ભાડુઆતનગરમાં દુકાન ધરાવતા નિમેષકુમાર કૌશિકભાઈ શાહને 19 માર્ચ,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમરાઈવાડીમાં દર્દીને મદદ કરનારાને તેના ભાઈએ માર્યો

    ઈસનપુરમાં વૃદ્ધાએ દાગીના બનાવવા આપતા જવેલર્સે છેતરપિંડી આચરી

    નિવૃત્ત પોલીસકમીના પરિવાર સાથે 2.90 લાખની છેતરપિંડી

    નિકોલમાં મ્યુનિ. દ્વારા લાઈબ્રેરી બનાવાનું કામ વર્ષથી મંથરગતિમાં

    અમરાઈવાડીમાં યુવકને મારી ફરિયાદ પાછી ખેંચવા ધમકી

    પૂર્વના વર્ષો પુરાણા જર્જરિત બનેલાં 3328 સરકારી આવાસોના સ્ટ્રકચરલ ઓડિટને મંજૂરીની મહોર